Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

સોનારીયા ગામે વાડીમાં વાછરડાનું મારણ કરતો દિપડો

પ્રભાસ પાટણ તા. ર૩ :.. વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામે રાત્રીના સોનારીયા ગામની બાજુમાં આવેલ કાનજીભાઇ સુખલાલ ચૌહાણ (પટેલ) ની વાડીમાં ર થી ૩ ની વચ્‍ચે એક દિપડાએ મારણ કરેલ છે.

સોનારીયા ગામ નેશનલ હાઇવેની અડીને આવેલ છે અને આ કાનજીભાઇની વાડી ગામને અડીને આવેલ છે અને આ વિસ્‍તારમાં દિપડાએ મારણ કરતા સોનારીયા ગામ અને આજુ-બાજુની વાડી વિસ્‍તારનાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયેલ છે. કારણ કે ગામની બાજુની વાડીમાં આ પ્રથમ બનાવ બનેલ છે.

આ બાબતની જાણ જંગલ ખાતાને કરતા તેમનાં કર્મચારીઓ ઘટના સ્‍થળે આવી અને જરૂરી કાર્યવાહી કરેલ હતી.

 

(10:48 am IST)