Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

વરતેજમાં તળાવમાં બે બાળકો ડૂબી ગયા

ભાવનગર તા. ૨૩ : તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત નિપજ્યા છે.

વિગતો એવી છે કે વરતેજમાં રહેતા હાર્દિક ભરતભાઇ સોલંકી (ઉ.૮) અને ગૌતમ ભરતભાઇ મકવાણા (ઉ.૯) વરતેજ નજીક ઓડવદરા પાસે આવેલ તળાવમાં ન્હાવા પડયા હતા ત્યારે બંને બાળકો પાણીમાં ડુબી ગયા હતા. તળાવ કિનારે બંને બાળકોના કપડા, ચંપલ મળી આવતા આ બાળકો તળાવમાં ડુબ્યા હોવાની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને હોડકુ અને મીંદડીની મદદથી તળાવમાં શોધખોળ કરી ભારે જહેમત બાદ બંને બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બનાવથી બંને બાળકોના પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે.

(10:50 am IST)