Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

જામનગરમાં શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલી

જામનગરઃ  શહીદ ભગતસિંહની જન્મ જયંતિ નિમિત્તે શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે ધારાસભ્ય વિક્રમ માડમ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા એકત્ર થઇ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી આ વેળાએ ગુરુદ્વારાના કમિટી દ્વારા પણ ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય વિક્રમ માડમના જન્મદિવસે તેમને પણ તેમના સમર્થકોએ શુભેચ્છા પાઠવી હતી (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર :  કિંજલ કારસરીયા,જામનગર)

(1:15 pm IST)