Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જૂનાગઢની આસ્થા હોસ્પિટલના ડૉ. ચિંતન યાદવે ઘરવિહોણા માટેનું આશ્રય સ્થાન ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજી પોતાના જન્મદિનની ઉજવણી કરી

જુનાગઢઃ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુખનાથ ચોક, નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલ ઘરવિહોણા માટેનુ આશ્રય સ્થાન ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ નિદાન કેમ્પમાં ''સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા'' આસ્થા હોસ્પિટલ અને આઈ.સી.યુ.ના ડૉ. ચિંતન યાદવ તથા સ્ટાફ દ્વારા બપોરના ૦૧ થી ૦૪ વાગ્યા સુધીમાં રહેતા તમામ લોકોનુ ફ્રીમાં ડાયાબિટીસ, ર્ણ્ણુી૧ણૂ, બીપી, લોહી, હૃદયને લગતી તપાસ કરી સારવાર આપવામાં આવી હતી.  આ કેમ્પમાં મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના   ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહાનગરપાલિકાના ડૉ. વિપુલભાઈ મોરજરીયાવિરલભાઈ જોશી, જીગ્નેશભાઈ પરમાર, સંજય બુહેચા, વાસુભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

(1:09 pm IST)