Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

જામનગરના રેલ્વેના સિનિયર સેકટર એન્જીનિયરનું બેભાન હાલતમાં મોત

ભુવનેશકુમાર શંખધાર અઠવાડીયાથી સારવાર હેઠળ હતા

રાજકોટ તા. ૨૪: જામનગર રહેતાં અને રેલ્વેમાં સિનિયર સેકટર એન્જિીનિયર તરીકે ફરજ બજાવતાં ભુવનેશકુમાર કનૈયાલાલ શંખધાર (ઉ.વ.૫૫) બિમાર હોઇ અઠવાડીયાથી રાજકોટ નવલનગરમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં આજે વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મૃતક મુળ યુપીના વતની હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

(11:12 am IST)