Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ધ્રાંગધ્રાના વાવડીમાં દાઝી જતા ૩ માસની બાળાનું મોત

રાજકોટ તા. ૨૪: ધ્રાંગધ્રાના વાવડીમાં દાઝી જવાથી ત્રણ માસની બાળાનું મોત નિપજ્યું છે. વાવડી રહેતાં લાલાભાઇ જુઠાણીની દિકરી મિષ્ઠી (ઉ. ૩ માસ) તા. ૧૫/૧૨ના રોજ ચુલામાં કપડુ પડતાં ભડકો થતાં દાઝી ગઇ હતી. ધ્રાંગધ્રા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. તેણીનું રાત્રીના મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જરૂરી કાર્યવાહી કરી ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી.

(11:13 am IST)