Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સાબરમતી જેલમાંથી જામીન પરથી ફરાર ટંકારાથી ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદમાંથી લૂંટ વિથ મર્ડરના ગુન્હામાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલ ઈસમને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટંકારાની લતીપર ચોકડી પાસેથી ઝડપી લીધો છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન બી ડાભીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન લૂંટ વિથ મર્ડરના ગુન્હામાં સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદમાંથી તા. ૨૭-૦૮-૨૦૧૯ થી તા. ૦૪-૦૯-૨૦૧૯ સુધીના વચગાળાના જામીન મેળવી તા. ૦૪-૦૯-૨૦૧૯ ના રજો જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ કેદી વચગાળાની રજા પરથી ફરાર થયો હોય જે કેદી મનજી ઉર્ફે માનસિંગ મુળાભાઈ ભુરીયા રહે દાહોદ વાળાને ટંકારા લતીપર ચોકડી પાસેથી ઝડપી લઈને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદને સોપવા તજવીજ હાથ ધરી છે.

(11:27 am IST)