Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ભાવનગરના પાલીતાણા પંથકમાં ખૂનનો બનાવ: નોઘણવદર ગામે મહિલાની હત્યા

એક શખ્સએ આધેડ મહિલાને જાહેર મુઢ મારીને હત્યા: મહિલાના પરિવાર જનોનું કેહવુ છે કે જૂની અદાવત રાખીને હત્યા કરી

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલીતાણાના નોઘણવદર ગામમાં આધેડ મહિલાની કરપીણ હત્યા થવા જવા પામી છે.
હત્યાના બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નોઘણવદર ગામે રહેતા મંજુબેન ઘુઘભાઈ ગોહિલ ઉ.70 વર્ષ નામની આધેડ મહિલાની હત્યા કરવામા આવી  છે.
કોઇ અજાણ્યા એક શખ્સએ આધેડ મહિલાને જાહેર મુઢ મારીને હત્યા કરવામાં આવી હતી
મહિલાના પરિવાર જનોનું કેહવુ છે કે જૂની અદાવત  રાખીને હત્યા કરવામાં આવી છે.
આધેડ મહિલાની મૃતદેહને  હાલ પાલીતાણાની સર માનસિંહજી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડાયામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
હત્યાના બનાવ અંગે પાલીતાણા રૂલર પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે

(9:00 pm IST)