Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

મોરબીની નીલકંઠ સ્કૂલમાં મંત્રોષધિ સુવર્ણ પ્રાશન સંસ્કારનું આયોજન.

મોરબી : સંસ્કૃતિ આર્ય ગુરુકુળમ રાજકોટ તેમજ નીલકંઠ સ્કૂલ દ્વારા પુષ્પ નક્ષત્રના શુભ સંયોગમાં તા. ૨૯ ના રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૫ સુધી નીલકંઠ સ્કૂલ મોરબી ખાતે મંત્રોષધિ સુવર્ણ પ્રાશન સંસ્કાર નિશુલ્ક યોજાશે

જેમાં ૬ માસથી ૧૪ વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ લાભ લઇ શકશે સુવર્ણપ્રાશન સંસ્કારથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, પાચનતંત્રમાં સુધારો, તેજસ્વી અને ચતુર બને છે તેમજ વિવિધ રોગોથી બચવા ઉપરાંત યાદ શક્તિમાં વધારો થાય છે.

 

(9:52 pm IST)