Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

જામકંડોરણામાં એન.ડી.આર.એફ ટીમ દ્વારા સ્‍વબચાવ કાર્યક્રમ યોજાયો

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૨૩: સરકારી હાઇસ્‍કુલમાં એનડીઆરએફ ટીમ દ્વારા પૂર, અતિવૃષ્‍ટિની જેવા આપતિના સમયમાં સ્‍વ બચાવ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એનડીઆરએફ ટીમના ઇન્‍સપેકટર ભરતભાઇ મોર્ય એ સ્‍વબચાવના સાધનો સાથે વિદ્યાર્થીઓને પ્રેકટીકલી માર્ગદર્શન આપ્‍યુ હતુ અને વિદ્યાર્થીઓને કયા સમયે કેવી રીતે કયા સ્‍વબચાવના સાધનોનો ઉપયોગ કરવો તે અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી બી.આર.બગથરીયા, નાયબ મામલતદાર ફલડ જનકભાઇ સાંભડ, ના.મામલતદાર અંકિતભાઇ શેખડા, ભાર્ગવભાઇ કમાણી, આચાર્ય ફરજાનાબેન, પ્રશાંતભાઇ મહેતા સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી.

(12:06 pm IST)