Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

સારથી સંજય પંડિતનું નિધન

કોરોનાકાળમાં દર્દીઓને હોસ્પિટલે પહોંચાડતા અમરેલીના એમ્બ્યુલન્સ ડ્રાઇવર

અમરેલી : દર્દીથી પરિવાર પણ દુર ભાગે તેવા કોરોનાકાળમાં દર્દીઓને જાનના જોખમે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા અને મૃતદેહને અવલ્લ મંજીલે પહોંચાડવા સુધીની પ્રસંસનીય માનવીય સેવાના વાહક એમ્બ્યુલન્સ ડ્રાઇવર સંજયભાઇ પંડિતનું ટુંકી બીમારીમાં અવસાન થતા ઘેરો શોક વ્યાપી ગયો છે. પંડિત પોતાની નાદુરસ્ત તબિયત વચ્ચે પણ નાત જાતથી પર રહીને અનેક પરિવારોના કોરોનાગ્રસ્ત દર્દીઓને સેવાનારૃપે હોસ્પિટલે પહોંચાડવા, સારવાર અપાવવા ખડેપગે ઉભા રહેતા અમુક સારવારમાં દર્દીના પરિવારની જરૃર હોઇ, પરંતુ કોઇ સાથે આવેલ ન હોય તેવા સમયે પરિવારના સભ્યની જેમ ખડેપગે ઉભા રહીને સારવાર અપાવતા પંડિતની અણધારી વિદાયને સહકારી સામાજીક સંસ્થાઓ, તબીબી ક્ષેત્ર સહિત અનેક પરિવારજનોએ શ્રધ્ધાંજલી પાઠવી છે.

(1:39 pm IST)