Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

સાવરકુંડલા મહાપ્રભુજી બેઠકજી હવેલીમાં પ્રાગટય ઉત્સવ ઉજવાશે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૨૫ : તા. ૨-૮-૨૨ શ્રાવણ સુદ પાંચમ મંગળવાર ના દિવસે મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલામાં પૂજયપાદ નિત્ય લીલા શ્રી વિઠ્ઠલેશ રાયજી મહારાજશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. જેના મુખ્ય મનોરથી અશ્વિનભાઈ સાગર કુંતલભાઈ સાગર પરિવાર છે તેમજ ચંદ્રેશભાઇ રવાણી હસુભાઈ સૂચક પણ મનોરથી છે તથા સહ મનોરથી ઘણા વૈષ્ણવ છે આ પ્રાગટ્ય ઉત્સવમાં શ્રી પુરૃષોત્તમ લાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં ઉજવવામાં આવશે બ્રહ્મસંબંધ આપવામાં આવશે તેમજઙ્ગ પ્રભુના પલના નંદમહોત્સવ તથા રાજભોગ આરતીનાઙ્ગ દર્શનનોઙ્ગ વૈષ્ણવોનેઙ્ગ અવલોકિક લાભ મળશે તો વૈષ્ણવે આ ઉત્સવમાં લાભ લેવા વિનંતી છે તેવી વિનંતી શ્રી મહાપ્રભુજી કારોબારી કમિટી તથા ઉત્સવ કમિટી તરફથી સર્વ વૈષ્ણવ ને પધારવા વિનંતી છે. તેમ રાજુભાઈ શીંગાળાની યાદી જણાવે છે.

(1:41 pm IST)