Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

મોરબીના રણછોડનગર લાઈન્સ નગર નવલખી રોડ પર રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો: કારણ અકબંધ

મોરબી સીટી બી ડિવીઝન પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

મોરબીમાં જાણે અપમૃત્યુ અને આપઘાતનું પ્રમાણ વધ્યું હોય તેમ દિન-પ્રતિદિન આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. જ્યાં વધુ એક આશાસ્પદ યુવકે

અગમ્યકારનો સર યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મુદ્દે મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રણછોડનગર લાઈન્સ નગર નવલખી રોડ પર રહેતા ૨૩ વર્ષીય ચેતનભાઈ વિનોદભાઈ પાટડીયાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ મોરબી સીટી બી ડિવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધીને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(12:59 am IST)