Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

દ્રોણેશ્વર ગુરુકુલ પરિસરમાં બિરાજીત હનુમાનજી મહારાજની આરતિ ઉતારતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

ઉના તા.૨5 ઉના પાસે, મચ્છુન્દ્રી નદીના કિનારે, દ્રોણેશ્વર  મહાદેવની સમીપમાં અને SGVP ગુરુકુલની નૂતન શાખા દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી પધારતા ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી,  કોઠારી નરનારાયણદાસજી સ્વામી, પુજારી હરિદર્શનદાસજી સ્વામી,  હરિપ્રિયદાસજી સ્વામી અને પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામીએ ભાવભર્યું સ્વાગત કર્યુ હતું.

   પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વિઘ્નનાયક શ્રી ગણપતિજીનું પૂજન કરી, પરિસરમાં બિરાજીત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું પંચોપચાર પૂજન કરી આરતિ ઉતારી હતી.

(12:14 pm IST)