Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

વાંકાનેર ગાયત્રી પરિવાર દ્વારા આદર્શ લગ્નનો શુભારંભ

વાંકાનેર તા. ર૪ :.. વાંકાનેર ગાયત્રી પરિવાર દ્વારા પરમ પૂજય ગુરૂદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના આદેશ અનુસાર સમપૂર્ણ સાદગીથી આદર્શ લગ્ન વિધી ગાયત્રી શકિત પીઠમાં આજે સમપન થયેલ છે. આ કાર્યક્રમ હમેંશા જે પરિવાર સાદગી પૂર્ણ લગ્નનું સ્‍વીકાર્ય હોય તેવા પરિવારોએ અહિંયા ગાયત્રી પરિવાર વાંકાનેરનો સંપર્ક કરવાને બન્ને પક્ષે રપ + રપ જણાને અહીં ચા, નાસ્‍તો તથા ભોજન પ્રસાદ આ સંસ્‍થા તરફથી આપવામાં આવશે.

લગ્નવિધિ હિન્‍દુ શાષાોકત મુજબ પરિવારના પરિજનો દ્વારા લગ્ન વિનામુલ્‍યે કરી આપવામાં આવશે.

લગ્ન પ્રસંગમાં ફટાકડા, ઢોલ નગારા, ડી. જે. વગાડવા દેવામાં આવશે નહીં ને લગ્ન બાદ કોઇ ભોજન સમારોહ કે રિશેપ્‍સન કરવામાં નહીં આવે ટોટલી સાદગીપૂર્ણ લગ્ન કરવાનો નિયમ રાખેલ છે. લગ્નનો શુભારંભમાં વાંકાનેરના વરરાજા ભાવિક પ્રફુલભાઇ સિધ્‍ધપુરા, કન્‍યા ડિમ્‍પલબેન ગીરીશભાઇ મારૂ, કડીયાણાવાળાએ પ્રભુતામાં પગલા પાડેલ આ પ્રસંગે વાંકાનેર ગાયત્રી પરિવારના મોભી અશ્વિનભાઇ રાવલ, બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ રજનીભાઇ રાવલ, તથા પાર્થધ્‍વજ યુવક મંડળને સમુહ લગ્નોત્‍સવ સમિતિના પ્રમુખ ટપુભા જેઠવાએ ખાસ  હાજરી આપેલ.  (તસ્‍વીર : ભાટી એન. વાંકાનેર)

 

(11:25 am IST)