Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

જામનગરમાં સાળાના પત્નિ સાથે બનેવીના આડા સંબંધમાં હત્યા થયાનુ ખુલ્યા બાદ સાસરીયા સામે કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામનગરમાં કુવામાંથી અર્ધ બળેલી હાલતમાં મળેલ લાશનો ભેદ ઉકેલાઇ ગયો છે. સાળાની પત્નિ સાથે બનેવીના આડા સંબંધમાં લલિત સોંદરવાની હત્યા થયાનું ખુલ્યા બાદ આ પ્રકરણમાં સાસરીયા સામે ફરીયાદ થઇ છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ રામજીભાઈ સોદરવા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના ફોરેસ્ટ કોલોની પાછળ, વાડી વિસ્તારમાં ફરીયાદી સંજયભાઈના મોટાભાઈ લલીતભાઈ ઉ.વ.ર૮ વાળાને તેના સાળા વિપુલભાઈના પત્ની ભાનુબેન સાથે આડા સબંધ હોય જેના કારણે મરણજનાર લલીતભાઈ  આરોપીઓ પાલાભાઈ અરજણભાઈ કટારીયા, વિપુલભાઈ પાલાભાઈ કટારીયા, અશ્વિનભાઈ પાલાભાઈ કટારીયા, વસંતબેન લલીતભાઈ રામજીભાઈ સોંદરવા, જયાબેન પાલાભાઈ અરજણભાઈ કટારીયા, ભાનુબેન વિપુલભાઈ પાલાભાઈ કટરીયા, રે. જામનગર વાળા ના ઘરે જતા આરોપીઓએ ફરીયાદી સંજયભાઈના ભાઈ લલીતભાઈનું કોઈપણ રીતે મોત નિપજાવી લાશને ધરારનગર પાસે આવેલ કુવામાં નાખી લાશ સળગાવી મરણજનાર લલીતભાઈનું મોત નિપજાવી પુરાવાનો નાશ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

(2:54 pm IST)