Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

હળવદઃ રાધનપુર મુકામે નીઃશુલ્‍ક શ્રવણ યંત્રના વિતરણનો કેમ્‍પ યોજાયો

રોટરી ક્‍લબ હળવદ અને રોટરી ક્‍લબ રાધનપુરના સંયુક્‍ત ઉપક્રમે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્‍યથી કાનની બહેરાશવાળા લોકો માટે શિશુમંદિર રાધનપુર ખાતે નિઃશુલ્‍ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્‍પનું ભવ્‍ય આયોજન ગોઠવવામાં આવ્‍યું હતું. જેમાં રાધનપુર તથા આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારના ૧૫૦ થી વધુ ભાઇઓ, બહેનોને શ્રવણ યંત્ર સહાય વિનામૂલ્‍યે કરવામાં આવી હતી. કેમ્‍પમાં આવનાર દરેકને ચકલીઘર ભેટ આપવામાં આવ્‍યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ દિપક જાનીઃ હળવદ)

(10:58 am IST)