Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ઉનાના નવાબંદરમાં દરિયામાંડૂબી જવાથી માછીમારનું મૃત્‍યુ

ઉના તા. ર૬ :.. નવાબંદર ગામે બોટનો પાટીયા ઉપરથી દરિયામાં અકસ્‍માતે પડી જતા ડૂબી જવાીથ સુલેમાનભાઇ નામના માછીમારનું મોત નિપજયું છે.

તાલુકાનાં નવાબંદર ગામે નવી જેટી ઉપર લાંગરેલી બોટના પાટીયા ઉપર ઉભા રહી. સુલેમાનભાઇ ઇમ્‍યાસભાઇ ઉ.વ.૩૬ રહે. નવાબંદર વાળો મચ્‍છી પકડતો હતો ત્‍યારે અકસ્‍માતે પાટીયા ઉપરથી પગલપસી જતાં દરિયાનાં પાણીમાં પડી ડૂબી જતા તેમને શોધખોળ કરી બહાર કાઢી દવાખાને લાવતા ડોકટરે મૃત જાહેર કરતાં આ અંગે પોલીસમાં મરણ જનારનાં ભાઇ યુસુફભાઇ ઇલ્‍યાસભાઇ જાહેરાત કરતા પોલીસે અકસ્‍માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(11:50 am IST)