Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સાવરકુંડલામાં રમજાન માસ નિમિતે તમામ મસ્‍જિદોમાં ઇફતાર પાર્ટી

સાવરકુંડલાઃ સુન્ની મુસ્‍લિમ જમાત દ્વારા શહેરની તમામ મસ્‍જિદોમાં ઇફતારીનો કાર્યક્રમ શાનો શોક્‍તથી થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષ કોરોના મહામારીના કારણે રજામન શરીફમાં લોકડાઉનના લીધે ઇફતારીની વ્‍યવસ્‍થાન ન હતી કરવામાં આવી હાલ કોરોના મહામારીમાંથી મુકિત મળતા આજ વખતે પવિત્ર રમજાન માસ મુસ્‍લિમો શાકો શોકત ઉજવણી કરી રહ્યા છે. સાવરકુંડલાની જુમ્‍મા મસ્‍જિદ, મદીના મસ્‍જિદ, નુરાનીનગર મુસ્‍જિદ ખાદી કાર્ય લઇ બીડીકામદાર મસ્‍જિદ, મસ્‍જિદ ઉસ્‍માનઉમર વિગેરે શહેર તમામ મસ્‍જિદોમાં શાનદાર રીતે ઇફતારી કરવામાં આવે છે. આ વખતનો રમજાન શરીફ મુસ્‍લિમો શાનો શોકતથી ઉજવી રહ્યા છે. ઇફતારી એટલે સાથે રોજા ખોલવા અને ઇફતારી કરવી તેમજ પરસ્‍પર ખજૂર ખવડાવી રોજા ખોલવા તેમાં ઘણો સવાબ (પુન) છે.(તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(12:46 pm IST)