Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જેતપુર સોમયજ્ઞમાં આજે મહાપ્રભુજી પ્રાગટય અંતર્ગત કનકાભિષેક-સોમરસ યજ્ઞ

જેતપુર : જગદગુરૂ વલ્લભાચાર્ય પ્રાગત્‍યોત્‍સવ અંતર્ગત આજે સોમયજ્ઞ કનકાભિષેક મનોરથ, બાદ દરેક દેવતાઓ માટે પ્રાતઃ સવન, મધ્‍યમ દિન સવન, તૃતીય સવન સુત્‍યાહ સોમરસ યજ્ઞ, સાંજે પ થી ૮ કલાકે મેગા રકતદાન કેમ્‍પનું આયોજન કરાયેલ છે. આવતીકાલે યજ્ઞના અંતિમ દિવસે અભિમંત્રીત કરેલ જળથી સ્‍નાન બાદ રાત્રીના ૧ર.૩૦ કલાકે શ્રીફળ હોમ બાદ પુર્ણાહૂતિ થશે. આ સમગ્ર આયોજન માટે સુરેશભાઇ રાણપરીયા, મોહનભાઇ રાદડીયા, સવજીભાઇ બુટાણી, પરસોતમભાઇ રાદડીયા, ખોડાભાઇ દોંગા, ચિરાગભાઇ ગજેરા, ગોપાલભાઇ કોરાટ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર - અહેવાલ : કેતન ઓઝા -જેતપુર)

(1:04 pm IST)