Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જુનાગઢમાં લીરબાઇ આઇની રથયાત્રાનું ઠેર-ઠેર સ્‍વાગત કરાયું : બ્રહ્મસમાજ ત્‍થા આગેવાનો દ્વારા હારતોરા

જુનાગઢ : સમસ્‍ત મહેર સમાજ તથા ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સીલ આયોજીતમાં લીરબાઇ આઇ રથયાત્રાનું ઠેર-ઠેર સ્‍વાગત કરી પુજન અર્ચન કરી હારતોરા કરાયા હતા જેમાં જુનાગઢ કોર્પોરેશનના મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગીરીશ કોટેચા, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટ ભીંભા દંડક, અરવિંદ ભલાણી દ્વારા રથયાત્રાનું સ્‍વાગત કરતા હોર્ડીંગ શહેરમાં લગાવાયા હતા. ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી, શહેર પ્રમુખ અમિત પટેલ, સવાદાસભાઇ પરમાર લક્ષ્મણ કેશવાલા, મિહીર મહેતા, યુગ પુરોહિત સહિતના એ માતાજીનું પુજન હારતોરા કર્યા હતા. ઉપરાંત એન.સી.પી.ના શહેર પ્રમુખ રણમલભાઇ સિસોદીયા એ પણ રથયાત્રાનું સ્‍વાગત કરેલ અને મનોરંજન સર્કીટ હાઉસ પાસે આ રથયાત્રાનું સમસ્‍ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાના પ્રમુખ કે.ડી. પંડયા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી, મહેશભાઇ જોષી, છેલભાઇ જોષી, શૈલેષભાઇ પંડયા, ભરતભાઇ લખાણી સહિતના એ હારતોરા કરી સ્‍વાગત કર્યુ હતું. (અહેવાલ : વિનુજોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:14 pm IST)