Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સાંજે મુન્દ્રાના વડાલા ગામે મુંબઈના જૈન આધેડ મનસુખભાઇ સતરાની તિક્ષણ હથિયારથી હત્યા

પોલીસ ઘટના સ્થળે પહોચી : ડોગ સ્કવોડ અને એફ એસ એલની ટીમ પહોંચશે

 

મુન્દ્રા તાલુકાના વડાલા ગામે સવારે 11 વાગ્યાંથી ઘેરથી નીકળેલ મનસુખભાઈ સતરાની મોડી સાંજે વડાલા ગામના ખેતરમાંથી હત્યા કરેલી લાશ મલી આવી હતી..પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મનસુખભાઈની તિક્ષણ હથિયારથી હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું..

મળતી વિગતો મુજબ મનસુખભાઈ મુંબઈના ડોબીવલી રહેતા હતા અને લગભગ છેલ્લા 3 દિવસથી તેઓ વડાલા ગામે જૂની સેનેટરીમાં રહે છે.. આ ઘટના અંગે મુન્દ્રા કોસ્ટલ પોલીસએ આગળ ની તપાસ હાથ ધરી છે.

(11:20 pm IST)