Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામજોધપુરના સીદસર ગામ પાસે આવેલ વેણુ નદી ઉપરનો ડાઇવર્જન ધોવાયો

જામજોધપુર : ગઈ કાલે વેણુ નદી ઉપરનો ઉમિયા સાગર ડેમની જળસપાટીમાં વધારો થતા વેણુ નદીમાં પાણી છોડાયું હતું.
૬૫  લાખ રૂપિયાના ખર્ચે કામચલાઉ  ધોરણે ડાયવર્ઝન બનાવાયેલું હતું જે ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.
વાહન  વ્યવહાર વાલાસન ધ્રાફા બાજુ થી શરુ કરાયો છે .સીદસર ગામ ના સરપંચ દ્વારા જે તે સમયે આ કામ ચલાઉ ડાઇવર્જન નો વિરોધ કર્યો હતો અને તે બાબતે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ને પત્ર પણ લખ્યો હતો પણ તંત્ર દવારા આંખ આડા કાન કરતા પ્રજા ના લાખો રૂપિયા પાણી માં ગયા

 

(8:09 pm IST)