Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગોંડલ શ્રી ભુવનેશ્વરી માતાજી- શ્રી આશાપુરા માતાજીનું પૂજન અર્ચન

ગોંડલ તા. ૨૬ : સુપ્રસિધ્ધ શકિતપીઠ ભુવનેશ્વરી મંદિર ખાતે નવલા નોરતાને અનુલક્ષીને પુજન અનુષ્ઠાન યજ્ઞ સહીત આયોજન કરાયા છે. પ્રથમ નોરતે પ્રાંતઃકાલ સાડાચાર થી છ દરમિયાન અનુષ્ઠાની ભકતો દ્વારા ઘટસ્થાપન વીધી મહાપુજા સવારેપ્રાંતઃકાલ આરતી બાદમાં પુ.આચાર્ય ઘનશ્યામજી ની નિશ્રામાં સ્તુતિ પ્રાર્થના ચંડીપાઠનંુ સમુહ ગાન તથા આશિર્વચન સવારે નવ કલાકે  પ્રત્યક્ષ કુમારીકા દુર્ગાપુજન સવારે દશ થી બાર જપ,તપ ધ્યાન બપોરે ત્રણ થી પાંચ ભુવનેશ્ચરી ભાગવત કથા પારાયણ, સાંજે સાયંકાલીન સ્તુતિ તથા આરતી સાંજે પુ.ઘનશ્યામજીમહારાજ તથા પુ રવિદર્શનજીની નિશ્રામાં સત્સંગ અને ભુવનેશ્વરી  ચાલીસાનંુ સમુહ પઠન કરાશે. રાત્રીના નાની બાળાઓ દ્વારા ગરબી રમાશે.આઠમના રોજ સતચંડી મહાયજ્ઞ એકવીસ કુંડી યજ્ઞનું આયોજન કરાયુ છે. નવરાત્રી ને લઈ ને મંદિરને અનેરો શણગાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના પાવન પ્રસંગે દેશ વિદેશ થી માઇ ભકતો અનુષ્ઠાન જપ તપ માટે પ્રતિ વર્ષ ભુવનેશ્વરી મંદિરે મોટી સંખ્યામાં આવે છે. (તસ્વીર : અહેવાલ જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

 

(12:19 pm IST)