Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

મોરબીમાં બાઇકની ઠોકરે ચડી ગયેલા કડીયાણા ગામના મનોજ દઢૈયાનું મોત

કેટલાક સમયથી મોરબીના જાંબુડીયા ગામે રહેવા આવ્યો'તોઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૭: મોરબીમાં ત્રણ દિવસ પહેલા શકિત ચેમ્બર નજીક બાઇકની ઠોકરે ચડી જતાં મુળ હળવદના કડીયાણા ગામના વતની હાલ મોરબીના જાંબુડીયા ગામે રહેતાં મનોજ ગોરધનભાઇ દઢૈયા (કોળી) (ઉ.વ.૨૯)ને ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મનોજ જાંબુડીયા ગામે પત્નિ-સંતાનો સાથે રહી મોરબીમાં કરિયાણાની દૂકાનમાં કામ કરતો હતો. ૨૪મીએ તે કામે ચાલીને કામે જતો હતો ત્યારે એક બાઇકની ઠોકરે ચડી જતાં ઇજા થઇ હતી. મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. આજે દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. મનોજ ત્રણ બહેન અને પાંચ ભાઇમાં બીજો હતો. તેના મોતથી એક પુત્રી અને બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(1:10 pm IST)