Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

લોકગાયિકા મિતલબેન રબારીએ ડોઝ લીધો

દેવભૂમિ દ્વારકા : કોરોના વાયરસ કોવિડ – ૧૯ અન્વયે રાજય સરકાર દ્વારા ૧૮ થી ૪૫ વર્ષના તમામ લોકો માટે નિઃશૂલ્ક કોવિડ રસી અભિયાન અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર હોસ્પિટલ અથવા સરકાર દ્વારા આયોજિત અન્ય કોઈ પણ રસીકરણ કેમ્પ જેવા સરકારી રસીકરણ કેન્દ્રો પરથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૩ વર્ષીય લોકગાયિકા મિતલબેન રબારીએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો. વધુમાં મિતલબેને વિના મૂલ્યે આપવામાં આવતા રસીકરણ અન્વયે રાજય સરકારનો આભાર વ્યકત કરતા રસીકરણ સુરક્ષિત છે અને રસીકરણએ આપણા અને આપણા પરિવારના આરોગ્ય માટે જરૂરી છે. તેમ જણાવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને રસીકરણ કરાવી આ લડતમાં રાજય સરકારને સહકાર આપવા અને ફરજીયાત રસીકરણ કરાવવા માટે અપીલ કરી હતી.

(12:02 pm IST)