Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

શ્રાવણનો ૮મો દિવસ : શ્રી સોમનાથ મહાદેવને અર્ધનારેશ્વર દર્શન શ્રૃંગાર

પ્રથમ તસ્વીરમાં શ્રી સોમનાથ મહાદેવને અર્ધનારેશ્વર શ્રૃંગાર તથા બીજી તસ્વીરમાં રાજ્યમંત્રી જવાહરભાઇ ચાવડાએ દર્શન કર્યા તે નજરે પડે છે.

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૨૮ : શ્રાવણ મહિનાનો આજે આઠમો દિવસ છે. શ્રી સોમનાથ મહાદેવને આજે અર્ધનારેશ્વર દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યા છે.

કોરોના મહામારીના કારણે ભાવિકોને સરકારની ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

શ્રાવણનાઙ્ગપ્રથમ સોમવારે સોમનાથઙ્ગ મહાદેવને સાયં શૃંગારમાંઙ્ગનવધાન્યઙ્ગશૃંગાર કરવામાં આવેલ, આજરોજ ભકતો દ્વારા ૧૧ જેટલીઙ્ગધ્વજા પુજાઙ્ગકરવામાં આવેલ હતી. સાંજે સાયં આરતી પહેલાઙ્ગપ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ પરીવાર સાથે સોમનાથ મહાદેવની મહાપુજાઙ્ગકરી હતી. સોમનાથ મહાદેવનાઙ્ગદર્શનાર્થે સાંજે ૬-૩૦ સુધી દસ હજારથીઙ્ગવધુ ભકતો આવેલા હતા.ઙ્ગજે પૈકી ૩,૭૪૬ ભકતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશનઙ્ગપ્રથમ સોમવાર માટે કરાવેલુઙ્ગહતુ.

(11:36 am IST)