Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ભાવનગરમાં બે મોતઃ ૩૩ કોરોના કેસ

ભાવનગર,તા.૨૮:ભાવનગરમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે વધુ બે કોરોના દર્દીના મોત નિપજયા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કેસોની સંખ્યા ૧,૨૩૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જયારે ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, જેસરના તાતણીયા ગામ ખાતે ૧, જેસરના માતલપર ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, સિહોર ખાતે ૨, તળાજાના સથરા ગામ ખાતે ૨, તળાજાના વેળાવદર ગામ ખાતે ૨ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૧૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

 મહાનગરપાલિકા વિસ્તારના ૧૨ અને તાલુકાઓના ૨૦ એમ કુલ ૩૨ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને  હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ શહેરમા રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

ઙ્ગઆમ જિલ્લામા નોંધાયેલા ૧,૨૩૭ કેસ પૈકી હાલ ૪૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૭૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:37 am IST)