Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ધોરાજી પીપળીયાના વૃધ્ધનું કોરોનાથી મોત થતા અરેરાટીઃ વધુ ૪ પોઝીટીવ કેસ

ધોરાજીઃ તા.૨૮,  ધોરાજી તાલુકાના પીપળીયા ગામ ખાતે ૭૫ વર્ષના પુરુષ ને કોરોના પોઝિટિવ આવતા તેઓનું રાજકોટ મુકામે સારવાર દરમિયાન અવસાન થયું હતું. જયારે વધુ ૪ પોઝીટીવ કેસ નોંધાયા છે.

જેમાં   હિરપરા વાડી વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષિય યુવાનને, વઘાસીયા ચોરા વિસ્તારમાં ૫૧ વર્ષના પુરુષને , કુંભારવાડા વૈષ્ણવ વાળી પાસે રહેતા ૬૭ વર્ષના વૃદ્ઘને, દરબારગઢ પાસે રહેતા ૫૬ વર્ષના પુરુષ ને કોરોના પોઝિટિવ આવ્યો છે જે બાબતે શંકાસ્પદ કેસ છે.

 આ બાબતે ધોરાજીના હેલ્થ ઓફિસર ડો વાછાણી સંપર્ક સાંધતા તેઓએ જણાવેલ કે રાજકોટથી આવેલી યાદી મુજબ ક્રમાંક નંબર આર ૨૯૨૭૪ નંબરનો જે દર્દી એ રાજકોટ હોસ્પિટલ ખાતે પોતાનું નામ અને એડ્રેસ અને મોબાઈલ નંબર જે ધોરાજીના દરબારગઢ વિસ્તારમાં લખાવેલ છે વાસ્તવિક માં તપાસ કરતા આ પ્રકારનો કોઈ નામ વાળો વ્યકિત રહેતો નથી અને એ નંબર ઉપર કોઈ સંપર્ક થતો નથી જેથી ધોરાજી પોલીસને તપાસ બાબતે જાણ કરી છે અને દર્દી એ ખોટા નામ-સરનામાં લખ્યા હોય તે પ્રકારની શંકા વ્યકત કરી હતી.

કોરોના પોઝિટિવના અમુક દર્દીઓ પોતાનું નામ છુપાવવા બાબતે હોસ્પિટલની અંદર પણ આ પ્રકારની ખોટી માહિતી આપતા હોય તે પ્રકારના અનેક બનાવો જોવા મળ્યા છે.

  ધોરાજી માં અત્યાર સુધીમાં (૧૩૧) કોરોના પોઝિટીવ નોંધાયા છે....અત્યાર સુધીમાં કોરોના વાયરસ ને પગલે (૮) વ્યકિતઓના મૃત્યુ થયેલ છે.

(12:03 pm IST)