Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જુનાગઢઃ શ્રી સોમનાથ મહાદેવના દર્શને જવાહર ચાવડા

જુનાગઢઃ શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાયં શૃંગારમાં નવધાન્ય શૃંગાર કરવામાં આવેલ આજરોજ ભકતો દ્વારા ૧૧ જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ હતી સાંજે સાયં આરતી પહેલા પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ પરીવાર સાથે સોમનાથ મહાદેવની મહાપુજા કરી હતી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે ૬-૩૦ સુધી દસ હજારથી વધુ ભકતો આવેલા હતા જે પૈકી ૩.૭૪૬ ભકતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રથમ સોમવાર માટે કરાવેલુ હતું.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:55 pm IST)