Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જસદણ- વિંછીયા પંથકમાં આજે વધુ ૬ કોરોના પોઝીટીવ કેસ : સાણથલી ગામના કોરોના ગ્રસ્ત મૃતક વલ્લભભાઈ ચનાભાઇ ધડુકના પુત્ર અને પૌત્રનો રિપોર્ટ પોઝિટિવ

આટકોટ ::::જસદણ- વિંછીયા પંથકમાં આજે પણ કોરોના કહેર યથાવત હોય આજે છ કેસ પોઝીટીવ આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. 

          આટકોટમાં આજે બે કેસ પોઝીટીવ આવ્યા છે જેમા સુરતથી આવેલા જયંતિભાઇ જેઠાભાઈ શેલિયા ઉ.વર્ષ 50, કૈલાસબેન રાજેશભાઇ મગતરપરા ઉ.વર્ષ 38 ના રીપોર્ટ પોઝીટીવ આવતા આટકોટ P.H.C. દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

              ઉપરાંત  સાણથલી ગામના વલ્લભભાઈ ચનાભાઇ ધડુકને 2 દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યા બાદ સારવાર મળે તે પહેલા જ તેમનુ મૃત્યુ થયુ હતુ તેમના પુત્ર ભરતભાઈ ઉ.વર્ષ 50 અને ભરતભાઈના પુત્ર ચિરાગ ઉ.વર્ષ 20 ને કોરોના પોઝીટીવ આવતા સાણથલી ગામમાં અને ધડુક પરિવારમાં ભય ફેલાઈ ગયો છે.

          આ ઉપરાંત વિંછીયાના રૂપાવટી ગામના મનીષાબેન શૈલેષભાઈ મેતલીયા ઉ.વર્ષ  29 અને આસલપુર ગામના પાયલબેન વિજયભાઇ નાકીયા ઉ.વર્ષ 21 ને કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1:14 pm IST)