Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

જેતપુરના જેતલસર નજીક RPF ની સતર્કતાથી મોટી ટ્રેન દુર્ઘટના ટળી.

જેતપુર: દિવાળીના તહેવાર ના લીધે હાલ ટ્રેનમાં બહોળી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. તેમાં ગઈ કાલે રાત્રે આરપીએફ ના પી એસ આઈ કાનજીભાઈ ડાભી નાઈટ પેટ્રોલીંગ માં નીકળેલ દરમ્યાન નવાગઢ નજીક રેલ્વે ટ્રેક ( પાટો ) કપાયેલ જોતા તુરંત ભાવનગર કન્ટ્રોલ માં જાણ કરી સ્ટાફના દિપકભાઈ મીણા, નરેશભાઈ જાની એ કામગીરી કરાવી હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી. જેથી રેલ્વે પોલીસ ની કામગીરીની સરાહના થઈ રહી છે.

(12:24 pm IST)