Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

મોરબી: આપ’ની “બસ હવે તો પરિવર્તન” યાત્રા : ઇશુદાન ગઢવી આવતીકાલે મોરબી જિલ્લામાં.

બગથળા અને ચરાડવા ખાતે જનસભાને સંબોધશે

 મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે આવતીકાલે 29 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈશુદાન ગઢવી બસ હવે તો પરિવર્તન યાત્રા અંતર્ગત મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન ઈશુદાન ગઢવી બગથળા અને ચરાડવા ખાતે જનસભાને સંબોધન કરશે.

 

‘આપ’ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાનભાઈ ગઢવીનો આવતીકાલ તારીખ 29/10 ના રોજ સવારે 9:00 વાગે પ્રવાસ શરૂ થશે. જે મુજબ સવારે 9:00 વાગ્યે જલારામ બાપાના મંદિર ખાતે દર્શન કરશે (અયોધ્યાપુરી મેઇન રોડ-મોરબી), સવારે 9:30 વાગ્યે રોહીદાસ પરા, વીસી ફાટક, મોરબી ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરશે, સવારે 10:30 કલાકે રામજી મંદિર દર્શન કરશે (દરબારગઢ – મોરબી), સવારે 10:45 કલાકે તિરંગાયાત્રા દરબાર ગઢથી જુના બસ સ્ટેન્ડ મોરબી સુધી યોજાશે.

 

આ ઉપરાંત ઈશુદાન ગઢવી આવતીકાલે સાંજે 5:00 વાગ્યે બગથળા તેમજ સાંજે 6:00 વાગ્યે હળવદ તાલુકાના ચરાડવા ગામે પહોંચી જનસંવાદ કરશે. બસ હવે તો પરિવર્તન યાત્રા સંદર્ભમાં નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં બગથળા ગામે જાહેર સભા યોજાશે. જાહેર સભા પૂર્ણ થયા બાદ સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચરાડવા લીંબડીયા હનુમાનજી ચોક મુકામે ઈશુદાનભાઈ ગઢવી જનસંવાદ કરશે.

(12:39 pm IST)