Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

જુનાગઢમાં વધુ એકને કોરોના પોઝીટીવઃ ઓમિક્રોનની આશંકા

જુનાગઢમાં એક જ દિવસમાં ૧૪૭પ૧નું વેકસીનેશન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૮ :  જુનાગઢમાં વધુ એક વ્યકિતનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેને સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

રવિવારે જુનાગઢમાં નવા બે કેસ આવ્યા બાદ તેના ગઇકાલે વધુ એક કેસનો ઉમેરો થતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

સોમવારે કોરોના પોઝીટીવ થયેલ વ્યકિતનો રીપોર્ટ કરી ગાંધીનગર જીબીઆરસીમાં મોકલવામાં આવેલ છે. ત્યાંથી રીપોર્ટ આવ્યા બાદ તેને ઓમિક્રોન છે કે કેમ તે જાણી શકાશે.

દરમિયાન સોમવારે એક જ દિવસમાં જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૧૪૭પ૧ લોકોનું અને ગ્રામ્યમાં ર૯૮૭ વ્યકિતનું વેકસીનેશન થયુ હતુ.

(12:47 pm IST)