Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પ્રખર વકતા અને બીજેપી મહાસચિવ રામ માધવ આગામી શનિવારે મોરબીમાં

સીમા જાગરણ મંચ આયોજિત કાર્યક્રમમાં વક્તવ્ય આપશે : ઓરેવા ગ્રુપના ફાઉન્ડર જયસુખભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજરી આપશે

મોરબી : પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવ આગામી શનિવારે મોરબીના મહેમાન બનશે. સળગતી સાંપ્રત સમસ્યાઓ અંગે પુસ્તકો લખનાર રામ માધવજી મોરબી ખાતે તેમના ‘ધ હિન્દુત્વ પેરેડાઇમ પુસ્તક અંગે વક્તવ્ય આપશે. સીમા જાગરણ મંચ સાગર ભારતી અને ભારત વિકાસ પરિષદ આયોજિત આ કાર્યક્રમમાં ઓરેવા ગ્રુપના ફાઉન્ડર જયસુખભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેનાર છે.

મોરબીમાં સીમા જાગરણ મંચ સાગર ભારતી અને ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા આગામી તા. 1 જાન્યુઆરીને સાંજના 5-30 કલાકે મહારાજા મહેન્દ્રસિંહ ટાઉનહોલ, નગરપાલિકા ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રખર વકતા તથા લેખક રામ માધવજી વક્તવ્ય આપશે ઉલ્લેખનીય છે કે ભારત દેશની સભ્યતા અને હિન્દૂ સંસ્કૃતિને દ્રષ્ટાંતો દ્વારા પ્રતિબિંબિત કરતા પુસ્તક ‘ધ હિન્દુત્વ પેરેડાઈમ’ની રચના અંગે આ કાર્યક્રમમાં રામ માધવજી વિશેષ વક્તવ્ય આપશે.
આ કાર્યક્રમમાં BAPSના હરિસ્મરણ સ્વામી તથા રાષ્ટ્રીય સ્વયં સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેસીયા તેમજ અતિથિ વિશેષ તરીકે ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ અને સિમ્પોલો ગ્રુપના જીતુભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. વધુ વિગત માટે સીમા જાગરણ મંચ સાગર ભારતીના સંયોજક રાજેશભાઈ એરણિયાના મો.નં. 80004 67236 તથા ભારત વિકાસ પરિષદના સહસંયોજક ડો. જયેશ પનારાનો મો.નં. 98256 21214 પર સંપર્ક કરી શકાશે.

(1:19 am IST)