Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જામનગરમાં કાલે ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે શિબિર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૮ :  ઉત્તમ સંતાન એ દરેક દંપતિનું સ્‍વપ્‍ન હોય છે. ગાયત્રી શક્‍તિપીઠ જામનગરમાં થતાં, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેના ગર્ભોત્‍સવ સંસ્‍કાર અને ગર્ભોત્‍સવ શિબિરના કાર્યક્રમોને સમાજમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના અનુસંધાને શ્રી ગાયત્રી શક્‍તિપીઠ, દ્વારા આગામી રવિવાર તા. ૨૯ના રોજ સવારે ૧૦ થી ૧૨ના સમયમાં નિઃશુલ્‍ક દંપતી માર્ગદર્શન શિબિરનો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ શિબિરમાં ગર્ભાવસ્‍થાની પૂર્વ તૈયારી કરી રહેલા દંપતી ભાગ લઇ શકશે. વધુ માહીતી માટે   ૯૪૨૯૨ ૭૧૯૫૭  અને ૯૪૦૯૨ ૦૮૫૫૮ પર સંપર્ક કરી શકાશે.

(11:02 am IST)