Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મોરબી પાટીદાર નવરાત્રિ મહોત્‍સવમાં શહીદ જવાનોના પરિવારને ૧-૧ લાખની સહાય

મોરબી : સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્‍ડેશન આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્‍સવમાં શહીદ જવાનોના પરિવારજનોને ૧-૧ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્‍યા હતા. પાટીદાર નવરાત્રિ મહોત્‍સવના બીજા નોરતે અજયભાઈ લોરિયા દ્વારા બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્‍મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને ૧-૧ લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય કરીને મા ભારતીનું ઋણ ચુકવવાનો પ્રયાસ કરાયો હતો.

(1:58 pm IST)