Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

જસદણમાં સાણથલીમાં એક જ પરિવારના ૪ ને કોરોનાથી ભયનું લખલખુ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૩૧ : જસદણના સાણથલી ગામે ધડુક પરિવારના પાંચ વ્યકિતને કોરોના પોઝીટીવ આવતા સાણથલીમાં ભય ફેલાઇ ગયો છે.

ગત તા.ર૬ના રોજ સાણથલીના લેઉવા પટેલ પરિવારના વલ્લભભાઇ ચનાભાઇ ધડુકને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

ત્યારબાદ બે દિવસ પછી તેમના પુત્ર ભરતભાઇ અને પૌત્ર ચિરાગને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો બાદમાં ગઇકાલે ભરતભાઇના પત્ની હંસાબેન અને તેમની પુત્રી સ્મિતાને પણ કોરોના પોઝીટીવ આવતા બંનેને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વલ્લભભાઇને પોઝીટીવ આવ્યા બાદ સ્થાનિક આરોગ્ય ખાતાની અણઆવડત અને બેદરકારીથી વલ્લભભાઇને રાજકોટ ખસેડવાનેબદલે તેમના ઘેર સાણથલી મોકલવામાં આવ્યા હતાં. તેમનું મૃત્યુ થયુ હોય આ બનાવમાં ઘેરા પડઘા પડયા હતાં અને આ બનાવની ઉચ્ચકક્ષાએ તપાસ પણ હાલ ચાલુ છે. સાણથલીના એક જ પરિવારમાં પાંચ-પાંચ કેસ કોરાનાના આવતા અને એકનું મૃત્યુ થતાં આ પંથકમાં ભયનું લખ લખુ પ્રસરી ગયુ છે.

(11:34 am IST)