Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને વિશ્વાસમાં લઈ મહેન્દ્ર સિંહ ધોનીને મેન્ટોર બનાવાયો

ટી૨૦ વર્લ્ડકપની ટૂકડીમાં મહેન્દ્ર સિંહ ધોનીના સમાવેશ પર સ્પષ્ટતા : મહેન્દ્ર સિંહ ધોનીનો ટી૨૦ ફોર્મેટમાં અનુભવ ટીમને ઉપયોગી રહેશે

નવી દિલ્હી, તા. : વનડે અને ટી૨૦ વર્લ્ડકપમાં ભારતને સફળતા અપાવનાર મહેન્દ્ર સિંહ ધોની આગામી ટી૨૦ વર્લ્ડકપમાં પણ જોવા મળવાનો છે. પરંતુ વખતે ધોની મેન્ટોર તરીકે ટીમ સાથે જોડાશે. બુધવારે જ્યારે ટી૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ધોનીને પણ કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવું કઈ રીતે થયું કે પાછલા વર્ષે ટીમને અલવિદા કહેનારા મહેન્દ્ર સિંહ ધોનીને ફરી એકવાર ટીમ સાથે જોડાવાની તક મળી? અંગે બીસીસીઆઈના સચિવ જય શાહે આખી વાત જણાવી છર્લ્ ટી૨૦ વર્લ્ડકપ આગામી મહિને ૧૭ ઓક્ટોબરથી શરુ થઈ રહ્યો છે જે ૧૪મી નવેમ્બર સુધી ચાલશે. વખતે બીસીસીઆઈ પાસે વર્લ્ડકપની યજમાની કરવાની તક છે. જય શાહે જણાવ્યું કે ટુર્નામેન્ટમાં ધોની કોચ રવિ શાસ્ત્રી અને બાકી સપોર્ટિંગ સ્ટાફ માટે મળીને કામ કરશે. જ્યારે સિલેક્ટર્સ પાછલા કેટલાક સમયથી ટી૨૦ વર્લ્ડકપ માટે ટીમ પસંદ કરવાની પ્રક્રિયામાં હતા ત્યારે બીસીસીઆઈ સચિવ જય શાહે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ધોનીને મેન્ટોર તરીકે ટીમ સાથે જોડવાનો આઈડિયા આપ્યો હતો. વાત ધોનીને ઓફર કરતા પહેલા કરવામાં આવી હતી. ધોનીને જ્યારે અંગે વાત કરવામાં આવી તો તેણે સ્વીકારી લીધી હતી. તક આપવા પાછળનું કારણ હતું કે ધોનીનો ટી૨૦ ફોર્મેટમાં બહોળો અનુભવ છે જે ટીમને ઉપયોગી બનશે. ધોની અસલમાં ટી૨૦ વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન છે. ૨૦૦૭માં સાઉથ આફ્રિકામાં ભારતને ધોનીની કેપ્ટનશીપમાં ટી૨૦ વલ્ડકપ જીતવાની તક મળી હતી. કારણે ધોનીનો સાથ ટીમને ઘણો ઉપયોગી સાબિત થશે.

ધોનીએ જય શાહની ઓફર સ્વીકારી લીધી. હવે તે આઈપીએલનો બીજો તબક્કો કે જે યુએઈમાં રમાવાનો છે, તે પછી તરત ટીમ સાથે જોડાઈ જશે. અહીં આઈપીએલમાં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે.

(7:55 pm IST)