Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

હૈદ્રાબાદના બેટસમેન રધરફોર્ડના પિતાનું નિધનઃ બાયોબબલમાંથી નિકળી જશે

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શેરફાન રધરફોર્ડના પિતાનું નિધન થયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો ખેલાડી તેના પરિવાર સાથે આ ખરાબ સમયમાં રહેવા માંગે છે .  તે યુએઇમાં બાયો-બબલમાંથી નીકળી જશે. આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ ટ્વિટર પર આ સમાચારની જાણકારી આપી અને ક્રિકેટર અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે.

 સનરાઇઝર્સ હૈદરાબાદે તેમના સત્તાવાર ટ્વિટર પેજ પર લખ્યું,  સનરાઇઝર્સ હૈદરાબાદ પરિવાર શેરફાન રધરફોર્ડના પિતાના નિધન પર શોક વ્યકત કરે છે પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરે છે. શેરફાન આ મુશ્કેલ સમયમાં તેના પરિવાર સાથે રહેવા માટે IPL બાયો-બબલ છોડી દેશે.  

(3:25 pm IST)