Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ગાંગુલીની તબિયત સુધારા પર

ઓકસીજન લેવલ પુરતા પ્રમાણમાં: મોનોકલોનલ એન્ટીબોડી કોકટેલ થેરાપીની ટ્રીટમેન્ટ

નવી દિલ્હીઃ બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીની કોરોનાગ્રસ્ત થયા પછી તબિયત એકંદરે સ્થિર અને સુધારા પર હોવાનું કલકત્તાની હોસ્પિટલના સત્તાવાળાઓએ   જણાવ્યું હતું. તેમની સારવાર કરી રહેલા ડોકટરના મતે ગાંગુલીમાં ઓકિસજનનું લેવલ પણ પૂરતા પ્રમાણમાં છે. તેમની સારવારમાં મોનોકલોનલ એન્ટિબૉડી કોકટેલ થેરપીનો સમાવેશ કરાયો છે.

(2:49 pm IST)