Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સાવરકુંડલા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ જાહિદભાઇ જાદવનો જન્મદિવસ

સાવરકુંડલાઃ સાવરકુંડલા સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રમુખ અને ટ્રાવેલીગ આગેવાન હાજી જાહિદભાઈ જાદવનો જન્મદિવસ છે.  સફળ જીવન યાત્રા ના ૫૨ વર્ષ વર્ષ પૂર્ણ ૫૩માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છેે.

સાવ ગરીબ મહમદભાઈ જાદવના ઘેર ગત તા. ૭/૯/૧૯૬૮ઙ્ગ રોજ જન્મ લેનાર હાજી જાહિદભાઈ જાદવે પોતાના જીવનનાં સફળતા મેળવવા સંઘર્ષ કરી આજે શૂન્યમાંથી સર્જન સુધી પહોંચનાર શહેરમાં ગરીબોના બેલી બની ગરીબો અને જરૂરિયાત મંદો ને ગુપ્ત દાન કરે છે તેમજ તેમનું  ટ્રાવેલ્સ અમરેલી જિલ્લામાં નહીં પરંતુ અમદાવાદ સુરતમાં પ્રખ્યાત છે અને સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે સેવા તો આપે છે  હિન્દૂ સમાજમાં પણ સારૃં માન ધરાવેછેઙ્ગ સામાજિક અને રચનાત્મક પ્રવુતિ માં વધુ રસ છે. લોકોના દુઃખ માં ભાગ લઇ ઉભા રહે છે. તેમના જન્મ દિવસ નિમિતે સગા સંબંધી મિત્ર વર્તુળો શુભેચ્છા તેમના મોબાઈલઙ્ગ નંબર ૯૪૨૬૮ ૫૨૫૧૩  ઉપર પાઠવી રહેલ છે.

(11:42 am IST)