-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
યોગેશભાઈ શાહનો કાલે બુધવારે જન્મદિવસ
જૈન અગ્રણી, રાજકોટ પાંજરાપોળનાં
રાજકોટ,તા.૧૯ : આવતીકાલે તા. ર૦ ને બુધવાર નાં રોજ સ્વતંત્ર સેનાની, જીવદયાનાં પ્રખર હિમાયતી સ્વ. રતિલાલ એ. શાહનાં સુપુત્ર યોગેશભાઈ શાહનો જન્મદિન છે. જે હાલ ઘી કાંટા રોડ ઉપર ખટાઉ સાડીનો વ્યવસાય કરે છે, તેઓ છેલ્લા ૪૦-૪૨ વર્ષથી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ સાથે જોડાયેલ છે. પિતાશ્રીનાં જીવદયાનાં સંસ્કાર યોગેશભાઈની રગેરગમાં આવેલ છે. તેઓ પોતાના જીવનાં જોખમે અનેક જીવોને કતલખાને જતા બચાવે છે. કોરોનાની લોકડાઉનની પરિસ્થિતિ સર્જાણી હતી ત્યારે યોગેશભાઈ નિયમિતરૂપે પાંજરાપોળ જતા અને દરેક જીવોનું ધ્યાન રાખતા. પાંજરાપોળમાં બીમાર પશુઓનાં વોર્ડમાં જઈને તેની સંભાળ પણ લ્યે અને ધર્મ સંભળાવી તેની અંતિમ ઘડીઓ સુધારે. આ ઉપરાંત રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં નગીનભાઈ વિરાણી સાથે વર્ષો સુધી હોદા પર રહી માનદ સેવા આપેલ છે. હાલમાં સ્વધર્મી બંધુ રાહત સમિતિમાં તેમજ ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ, સ્વસ્તીક કો. ઓ. હા. સો.માં પણ સેવા આપી રહેલ છે.
રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં શ્રેયસભાઈ વિરાણી, સુમનભાઈ કામદાર, પંકજભાઈ કોઠારી, મુકેશભાઈ બાટવીયા, કરણભાઈ શાહ, બકુલેશભાઈ રૂપાણી, સંજયભાઈ મહેતા, દીલીપભાઈ વસા, કારતીકભાઈ દોશી તથા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં સ્ટાફે યોગેશભાઈ શાહ (મો.૯૧૦૬૬૭૮૧૯૩) ઉપર શુભેચ્છા પાઠવેલ છે.