Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રાજપીપળા નિઝામશાહ દરગાહ પાસેના સાંકડા માર્ગે એસટી બસો પસાર થતા એક બસ મકાનની બહાર અથડાતા વૃદ્ધાનો આબાદ બચાવ :સ્થાનિકોમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં આવતી જતી સરકારી એસટી બસો રાજપીપળા  સ્ટેશન રોડ ઉપરથી પસાર થતી હતી પરંતુ સફેદ ટાવરથી સબજેલ સુધી સાંકડો રસ્તો હોવાના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના કારણે ગામ બહાર જતી એસટી બસ સ્ટેશન રોડ થઈ કલા ઘોડા તરફ અને અન્ય માર્ગમાં કોર્ટથી કાળીયાભૂત મંદિર તરફથી રૂટ શરૂ કરાયો હતો જેથી ગામમાં આવતી બસો કાળિયા ભૂત થઈ છત્રવિલાસથી ડેપોમાં આવતી હોય હાલ નિઝામસાહ દરગાહ પાસેથી બસનો રૂટ શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
 સ્થાનિકોના જણાવ્યા મુજબ મંગળવારે સવારે એક બસ રહેણાંક મકાનની બહાર અથડાતા એક મહિલાનો આબાદ બચાવ થયો હતો જેથી સ્થાનિકોનું કહેવું છે કે  નિઝામ શાહ અને સિવિલ હોસ્પિટલ પાસે રસ્તા સાંકડા હોઈ મોટી બસો પસાર થાય એ જોખમી છે ક્યારેક કોઈ નાના બાળકો કે વૃદ્ધ બસની અડફેટે આવી જાય અને દુર્ઘટના બને તો જવાબદાર કોણ ? માટે એસટી બસ નો વ્યવહાર અન્ય રસ્તે ખસેડવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે.

(10:24 pm IST)