Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કોરોનાને કારણે ડીસા તાલુકા મામલતદાર વણકરનું કરૂણ નિધન

કોરોના યોધ્ધાને અમદાવાદ દાખલ કરાયા'તાઃ પણ જંગ હારી ગયા

પાલનપુર તા. ૭: બનાસકાંઠાના ડીસામાં કોરોના યોધ્ધા તરીકે કામ કરનાર તાલુકા મામલતદાર ડી. કે. વણકરનું કોરોનાને કારણે અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં દાખલ થયા બાદ કરૂણ અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

તેઓ કોરોના યોધ્ધા તરીકે સતત દોડધામ કરી રહ્યા હતા, આ દરમિયાન તેમને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા, જયાં તેમની તબીયત બગડતા ત્રણ દિ' વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ જંગ હારી ગયા, તેમના નિધનના સમાચાર જાણી જીલ્લા કલેકટર આનંદ પટેલ, એડી. કલેકટર એ.ટી. પટેલ, વિગેરે શોકમાં ગરકાવ થઇ ગયા હતા, મામલતદાર સ્વ. વણકરને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

(11:31 am IST)