Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વડોદરા:પત્નીને છૂટાછેડા આપ્યા બાદ બીજા લગ્ન કરી પતિએ સંબંધો શરૂ રાખતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો

વડોદરા : પહેલી  પત્નીને છૂટાછેડા આપ્યા પછી બીજા લગ્ન કરનાર યુવકે ત્યારબાદ પણ પહેલી પત્ની સાથે સંબંધ ચાલુ રાખ્યા  હતા.બીજી પત્નીએ  આ અંગે કહેતા યુવક તેને છોડીને જતો રહ્યો હતો.જે અંગે પરિણીતાએ ગોરવા  પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગોરવા વૃદાંવન ટાઉનશિપમાં રહેતા મેઘના બેન તમંગે પોલીસને જણાવ્યુ છે કે,મારા પિતા હસ્તબહાદુર તમંગ નિવૃત્ત જીવન ગુજારે છે.મારા લગ્ન વર્ષ ૨૦૦૫ માં દિપક ચોકબહાદુર રાજપૂત સાથે થયા હતા.લગ્નજીવન દરમિયાન અમારે સંતાનમાં એક પુત્ર છે.મારા પતિ દિપક સાથે અણબનાવ થતા હું મારા પુત્રને લઇને પિયરમાં રહેવા આવી ગઇ હતી.મારા  પતિનું વર્ષ ૨૦૧૮ માં અવસાન થયુ હતુ.બે વર્ષ પૂર્વે  હું અલકાપુરીની હોસ્પિટલમાં નોકરી કરતી હતી.તે દરમિયાન મારી સાથે નોકરી કરતા જીતેન્દ્રસિંહ કાંતિસિંહ સોલંકી  ( રહે.પામવીલા સોસાયટી,મકરપુરા) સાથે મિત્રતા થઇ હતી અને પછી અમારા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.જીતેન્દ્રએ મને કહ્યુ હતું કે,મારે  પણ મારી પત્ની સાથે બનતુ નથી,હું તેને છૂટાછેડા આપવાનો છું.ત્યારબાદ આપણે લગ્ન કરી લઇશુ.જીતેન્દ્રએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા પછી અમે બંનેએ લગ્ન કરી લીધા હતા.હું મારા દાગીના અને સામાન લઇને પતિ સાથે રહેવા માટે આવી ગઇ હતી.જીતેન્દ્રની નોકરી છૂટી ગઇ હોય તે રોજ નોકરી શોધવા જવાના બહાને ઘરેથી નીકળતો હતો.

અને સાંજે પરત આવતો હતો.મને તેના પર શંકા જતા તેનો મોબાઇલ ફોન ચેક કરતા જાણ થઇ હતી કે,જીતેન્દ્ર તેની પહેલી પત્ની સાથે વીડિયો કોલથી વાત કરતો હતો.જે અંગે મેં જીતેન્દ્રને કહેતા તેને મારી સાથે ઝઘડો કરવાનું શરૃ કર્યુ હતુ.

(5:37 pm IST)