Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી ધનવંતરી રથના ડ્રાઈવરે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી

સુરત: શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં યુવકે ધન્વતંરી રથમાં ડ્રાઇવરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કરતા હતા જ્યારે દેવું થઈ જતાં આત્મહત્યા કરૂ છું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, જહાંગીરાબાદ વિસ્તારમાં સુંન્દરમ રો હાઉસમા રહેતા 42 વર્ષીય કિરીટ ધીરજ પટેલ ગુરૂવારે સાંજે પોતાના ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોકે તેમના પરિવારના સભ્યોએ તેમને ફોટો ખાધેલી હાલતમાં હેબતાઈ ગયા હતા તેણે પાડોશીઓને જાણ કરતા તેઓ આવી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે આવી કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું કે, કિરીટે ભાઈ પાસેથી બે પાનાની સુસાઈડ નોટ લખી છે કે, રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કરતા હતા જ્યારે દેવું થઈ જતાં આત્મહત્યા કરૂ છું.

(5:29 pm IST)