Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારનીચૂંટણીમાં મળેલો વિજયપીએમ મોદીનો વિજય છે, નીતિશ કુમારનો નહીં:ચિરાગ પાસવાન

લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને કહ્યું હતું કે બિહારની વિધાનસભા ચૂંટણીમાં મળેલો વિજય પીએમ મોદીનો વિજય છે, નીતિશ કુમારનો નહીં

રાજદના તેજસ્વી યાદવ કરતાં અંગત રીતે સૌથી વધુ અફસોસ ચિરાગને થયો હોવો જોઇએ છેલ્લાં પંદર વીસ વર્ષમાં લોજપે આ ચૂંટણીમાં સૌથી કંગાળ દેખાવ કર્યો હતો. 243માંથી ચિરાગના પક્ષને માત્ર એક બેઠક મળી હતી. એણે સંખ્યાબંધ ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને પૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝીએ એના પર એવો આક્ષેપ કર્યો હતેા કે પિતા રામ વિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર પ્રસંગે ચિરાગે સ્મશાનમાં બેભાન થવાનું નાટક કર્યું હતું અને બીજા દિવસે હસતા મોઢે પ્રચારની વિડિયોનું શૂટિંગ કરતો હતોઆ ચૂંટણીમાં સૌથી વધુ નુકસાન લોજપને થયું હતું. ચિરાગે પોતાના ટેકેદારો દ્વારા એવી માગણી પણ કરાવી હતી કે રામ વિલાસ પાસવાનના મરણના કારણે કેન્દ્રનું એમનું પ્રધાનપદ ચિરાગને મળવું જોઇએ.

(11:11 am IST)