Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પત્રકાર પ્રશાંત કનોજીયાના જામીન મંજુર : અયોધ્યા રામ મંદિર બાબતે ટિપ્પણી કરવા બદલ ઓગસ્ટ માસમાં દિલ્હીના નિવાસ સ્થાનેથી ધરપકડ થઇ હતી : અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે જામીન મંજુર કર્યા

લખનૌ :  અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે પત્રકાર પ્રશાંત કનોજીયાના જામીન મંજુર કર્યા છે.  અયોધ્યા રામ મંદિર બાબતે ટિપ્પણી કરવા બદલ ઓગસ્ટ માસમાં દિલ્હીના નિવાસ સ્થાનેથી તેની ધરપકડ થઇ હતી .
તેના ઉપર એફઆરઆઇ દાખલ કરાયેલી હતી.જે સામે પ્રશાંતે માંગેલા જામીન માટે નામદાર કોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા માટે 4 સપ્તાહનો સમય આપ્યો હતો.
આ અગાઉ ગયા વર્ષે યોગી આદિત્યનાથ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસે તેમની ધરપકડ કરી  હતી.ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેના જામીન મંજુર કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:32 pm IST)