Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પંજાબમાં રાવણને આગ લગાડતા સમયે બ્લાસ્ટ : લોકોમાં નાસભાગ : ધારાસભ્ય માંડ માંડ બચ્યા

કોઈ જાનહાની થઈ નથી. એક મોટી દુર્ઘટના સહેજમાં અટકી

પંજાબમાં રાવણને આગ લગાડતા સમયે બ્લાસ્ટ થયો હતો દશેરાના પર્વે બટાલામાં રાવણને આગ લગાડતા સમયે એક દુર્ઘટના ઘટી હતી. રાવણને આગ લાગતા તેનો ત્યાંજ બ્લાસ્ટ થયો હતો. આ દરમયાન લોકો પોતાના જીવ બચાવવા માટે દોડ મુકી હતી. ત્યાં હાજર ધારાસભ્ય અશ્વિનિ સેખડી પણ માંડ માંડ બચ્યાં હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ જાનહાની થઈ નથી. એક મોટી દુર્ઘટના સહેજમાં અટકી છે.

(12:00 am IST)